ડીસાની 3 ભૂજ, દાદર અને ગાંધીધામ જતી લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી બંધ છે. રેલ સેવા પુન : ચાલુ થાય તેવી માંગ ઉઠી છે.
કોરોના મહામારીના નામે ભૂજ-દાદર અને દાદર-ભૂજ એક્સપ્રેસ તેમજ પાલનપુર-ગાંધીધામ અને ગાંધીધામ-પાલનપુર તેમજ ભૂજ-પાલનપુર અને પાલનપુર-ભૂજ લોકલ ટ્રેનો લગભગ છેલ્લા 2 વર્ષથી બંધ થઇ ગઇ છે.
ડીસાના યાત્રિકોને સુરત-મુંબઇ જવા માટે સસ્તી અને સુરક્ષિત રેલ સેવા બંધ થઇ જતાં અસલામત અને મોંઘી લક્ઝરી બસોથી આવા-ગમન કરવું પડે છે.
આ અંગે ડીસા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેન્દ્રભાઇ દોશી અને માનદ મંત્રી હસમુખભાઇ વેદલીયાએ વાંરવાર કેન્દ્રીય રેલ મંત્રી અને રેલ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.
તેમ છતાં રેલ સેવા ચાલુ થતી નથી. આથી બનાસકાંઠા જીલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા અને ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા રેલ સેવા પુન : ચાલુ કરાવે તેવો જનમત પ્રવર્તે છે.
From-Banaskantha update