યાત્રાધામ અંબાજીની આજુબાજી મહત્તમ આદિવાસી અને ગ્રામિણ વિસ્તાર આવેલો છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં રૂ. 35 લાખના ખર્ચે કાયમી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં ખાસ ઓક્સિજન પ્લાન્ટ માટેની સાધન સામગ્રી પણ આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે આવી પહોચી છે.
હાલમાં અંબાજી કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા છે. જેમાં 30 ઓક્સિજનવાળા અને 20 સાદા બેડ છે. કોરોનાની ત્રીજી લહેરને લઈ હજારો લીટરના ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19 હોસ્પિટલમાં વધુ 120 ઓક્સિજનવાળા બેડ તૈયાર કરવાની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે અને ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાંની સાથે 120 બેડ ઓક્સિજનવાળા પણ કાર્યરત થઈ જશે.
આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્રારા અંબાજીની કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં રૂ. 35 લાખના ખર્ચે કાયમી અધતન ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે. જેમાં યાત્રાધામ અંબાજીની આજુબાજી મહત્તમ આદિવાસી અને ગ્રામિણ વિસ્તાર આવેલો છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં રૂ. 35 લાખના ખર્ચે કાયમી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં ખાસ ઓક્સિજન પ્લાન્ટ માટેની સાધન સામગ્રી પણ આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે આવી પહોચી છે.
હાલમાં અંબાજી કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા છે. જેમાં 30 ઓક્સિજનવાળા અને 20 સાદા બેડ છે. કોરોનાની ત્રીજી લહેરને લઈ હજારો લીટરના ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19 હોસ્પિટલમાં વધુ 120 ઓક્સિજનવાળા બેડ તૈયાર કરવાની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે અને ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાંની સાથે 120 બેડ ઓક્સિજનવાળા પણ કાર્યરત થઈ જશે.
આ અંગે અંબાજી મંદિરના ડેપ્યુટી કલેકટર અને વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, અંબાજીની આ કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટ તેમજ ભારત સરકારની સહાયથી પણ વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાશે. આમ અંબાજીની કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં એક નહી પણ હજારો લીટરના બે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાશે.
From – Banaskantha Update