દિયોદર તાલુકાના પાલડી પંથકના 7 થી વધુ ગામના ખેડૂતોએ બુધવારે એકત્ર થઇ જેટકો કંપની સામે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ધારાસભ્યને રજૂઆત કરાઇ હતી.
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના પાલડી પંથકના 7 થી વધુ ગામ પાલડી,કુવાતા,ગોલવી (ગોળીયા), રામપુરા,સરદારપુરા,ધુણસોલ,મેરા અને માનપુરા સહીતના ગામોના ખેડૂતોના ખેતરોમાં જેટકો કંપની દ્વારા લાઇન નાખતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો હતો.
જ્યારે ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવતાં બુધવારે તમામ ગામના ખેડૂતો એકત્ર થઇ જેટકો કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ જેટકો કંપનીના કર્મચારીઓની હાજરીમાં દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાને યોગ્ય વળતર ચૂકવવા રજૂઆત કરાઇ હતી અને જો યોગ્ય વળતર ચૂકવવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update