પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની શુક્રવારે બિનહરીફ વરણી કરાઇ હતી. જેમાં ચેરમેન તરીકે ફતાભાઇ ધારીયાની બીજીવાર વરણી કરાઇ હતી.
જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભગવાનભાઇ પટેલની નિમણૂંક કરાઇ હતી. જ્યારે ચેરમેન-વાઇસ ચેરમેનને શુભેચ્છકોએ ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.
પાલનપુર માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રીયા હાથ ધરાઇ હતી. માર્કેટયાર્ડની થોડા માસ અગાઉ ચૂંટણી યોજાઇ હતી.
જેના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી શુક્રવારે રજીસ્ટાર અને ચૂંટણી અધિકારી એ.પી.અંસારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
જેમાં ભાજપ દ્વારા પૂર્વ ચેરમેન ફતાભાઇ ધારીયાને મેન્ડેડ આપવામાં આવતાં તેઓ સતત બીજીવાર માટે ચેરમેન બન્યા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભગવાનભાઇ પટેલની સર્વાનુમતે વરણી કરાઇ હતી.
ત્યારે તમામ ડીરેક્ટરો સહીત શુભેચ્છકોએ ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ચેરમેન ફતાભાઇ ધારીયાએ આગામી 5 વર્ષ જે કામ ખેડૂતોના હીત માટે કર્યું હતું તેના કરતાં પણ વધારે કામ કરવાની ખાત્રી આપી હતી. જ્યારે સરકારની નવી યોજનાઓ થકી ખેડૂતોને લાભ થાય તેવા પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું.
From-Banaskantha update