થરાદના રાહમાં કોઈ મહિલાએ બાળકીને જન્મ આપી કેનાલમાં ફેંકી દેતા અરેરાટી

- Advertisement -
Share

થરાદના રાહની સુજલામ સુફલામ નહેરમાં ગુરૂવારે બપોરે કોઈ મહિલાએ પોતાની બાળકીને જન્મ આપી મૃત હાલતમાં નહેરમાં નાખી દેતા અરેરાટી સાથે ફિટકારની લાગણી પણ પ્રસરી હતી થરાદ પોલીસે રાહદારીની ફરિયાદના આધારે મહિલા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાહ ગામના કેસર સિંગ હરિ સંગ રાજપૂતને રાહની સીમમાં ગુરુવારની બપોરના બે વાગ્યે સુરાજી દીપાજી રાજપૂતના ખેતર પાસે એક બિનવારસી બાળકીને કાંબળીને વીંટાળીને ત્યજી દેવાયેલી જોવા મળતા તેમણે આ અંગે 108ને જાણ કરી હતી.

Advt

આથી પાયલોટ હેગોળભાઈ અને ઇએમટી અશોકભાઈ સાધુ કેનાલના પુલ નીચે દોડી આવ્યા હતા અને કેનાલમાં ઉતરી સ્થળ પર જઇ તપાસ કરતાં બાળકીનાં શ્વાસ અને હૃદયના ધબકારા બંધ જોવા મળ્યા હતા.

આ અંગે થરાદ પોલીસને જાણ કરી હતી આથી થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને પીએમ અર્થે થરાદ લઇ આવી હતી તેમજ અજાણી મહિલા સામે સ્ત્રી બાળકને જન્મ આપી ઇરાદાપૂર્વક ત્યજી દહી થરાદની સુજલામ સુફલામ કેનાલમાં ફેકી જતી રહેવા બદલ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદની નર્મદા કેનાલમાંથી પણ બાર દિવસ પહેલા આવી જ રીતે ફેંકી દેવાયેલું બાળક મળી આવ્યું હતું પાપ કર્મો છુપાવવા માટે બાળકીને જન્મ આપી ત્યજી દેવાયાનું ચર્ચાસ્પદ બન્યું છે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!