કોરોનાના નિયમો ફક્ત આમ જનતા માટે : ડીસા BJP દ્વારા PM મોદીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય જાપ કાર્યક્રમ યોજાયો

Share

એક તરફ કોરોના સામે રક્ષણ માટે લોકોને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરવામાં આવે છે તો બીજીતરફ રાજકીય નેતાઓ પોતે જ નિયમોનો ઉલ્લંઘન કરતા નજરે પડે છે.

માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષામાં નિષ્કાળજીના કારણે જે દુર્ઘટના બની તેને વખોડી કાઢવા આજે ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહામૃત્યુંજય જાપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં પંજાબ સરકારની નિષ્કાળજીના કારણે જે દુર્ઘટના બની તેને વખોડી કાઢવા સમગ્ર ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

PM નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે આજે ડીસા શહેરના ધારાસભ્ય શશીકાંત પંડયાની અધ્યક્ષતામાં મહામૃત્યુંજય જાપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નગરપાલિકાના સદસ્યો તેમજ ડીસા શહેર યુવા મોરચો ખાસ ઉપસ્થિત રહી મહામૃત્યુંજય જાપ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share