અમદાવાદના ધંધુકા અને રાધનપુરની ઘટના બાદ હીન્દુ સંગઠનોમાં આક્રોશ ભભૂક્યો છે. બનાસકાંઠા જીલ્લામાં હીન્દુ સંગઠનો દ્વારા શહેરી વિસ્તારોને બંધ આપવામાં આવી રહ્યા છે.
જ્યારે રેલી કાઢી આવેદનપત્ર આપી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ત્યારે સોમવારે ડીસામાં હીન્દુ સંગઠનના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે.
અમદાવાદના ધંધુકા અને રાધનપુરમાં બનેલી ઘટના બાદ હીન્દુ સંગઠનો દ્વારા સોમવારે વેપારી મથક પાંથાવાડાને બંધ પાળ્યું હતું. જે બાદ હીન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઇ હતી.
જ્યારે ડીસામાં પણ હીન્દુ સંગઠનો દ્વારા રેલી નીકાળી સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટર એફ.એ. બાબીને આવેદનપત્ર આપ્યું હતું.
જ્યારે હીન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડ અને રાધનપુરની યુવતીની જેમ અન્ય હીન્દુ લોકોને ટાર્ગેટ કરવામાં ન આવે તે માટે સરકાર કટીબધ્ધ બને વિધર્મીઓ દ્વારા વારંવાર થતાં હુમલાથી હીન્દુ સમાજમાં આક્રોશ ભભૂક્યો છે. જો આ પ્રકારની ઘટના ફરી બનશે તો હીન્દુ સંગઠનો આક્રોશ સાથે બહાર આવશે.
From-Banaskantha update