અમદાવાદના ધંધુકાની ઘટના પડઘા બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં પડયા છે. જીલ્લાના વિવિધ હીન્દુ સંગઠનોએ શનિવારે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કિશન ભરવાડને ન્યાય આપવા માંગ કરી છે.
જ્યારે “કિશન ભરવાડને ન્યાય આપો’ અને “હમ શર્મિંદા હૈ, કિશન તેરે આરોપી જીંદા હૈ”ના નારાઓથી કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી.
અમદાવાદના ધંધુકા અને રાધનપુરની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતભરમાં પડી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જીલ્લાના હીન્દુ સંગઠનો જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે.
જેમાં અલગ-અલગ હીન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી અમદાવાદના ધંધુકા અને રાધનપુરમાં થયેલી ઘટનાને લઇ વિધર્મીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરાઇ છે.
જ્યારે શનિવારે બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીમાં પહોંચેલા હીન્દુ સંગઠનોને જો ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
From-Banaskantha update