મારા દુઃખની તમને ખબર પડે નહીં, બાકી તમને ક્યારેય થયું છે કે ઘરે નથી જવું ? આવી જ કંઇક વેદના એ 13 વર્ષની કિશોરીની હતી. તેના શબ્દો હતા કે, ‘મને મારા પિતા લાકડીએ લાકડીએ મારે છે મારે ઘરે નહીં જવું.’ સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારની 13 વર્ષની કિશોરી તેના સાવકા પિતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગઇ અને શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા મજબૂર બની ગઇ. આમ તો આપણે દીકરીને ગાય માનીએ છીએ.
[google_ad]
કહેવત છે કે ‘દીકરી અને ગાય દોરે ત્યાં જાય’ પણ આ કિસ્સામાં 13 વર્ષિય દીકરી પોતાના સાવકા પિતાની મારઝૂડથી કંટાળી પહેરેલે કપડે ઘરેથી નીકળી ગઇ હતી. 181 ની ટીમે ઘણું સમજાવી પણ કિશોરી પિતાના ત્રાસથી એટલું કંટાળી ગઇ કે ઘરે જવા તૈયાર જ ન થઇ અને છેવટે અભયમની ટીમે તેને સુરક્ષિત આશ્રય ગૃહમાં મોકલી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.
[google_ad]
સિદ્ધપુરના એક ગામમાં માતાએ બીજા લગ્ન કરતાં કિશોરી માતા સાથે સાવકા પિતાના ઘરે રહેતી હતી. પણ કિશોરીને કોઇ પ્રકારની આઝાદી ન હતી. તેને બસ ઘરમાં જ રહેવાનું હતું. ઘર કામ કરી ચાર દીવાલોમાં બંધ રહેવા છતાં તેના સાવકા પિતા તેના પર ત્રાસ ગુજારતાં હતા.
[google_ad]
આખરે આ ત્રાસથી કંટાળીને કિશોરી ઘરેથી નીકળી સિદ્ધપુર શહેરમાં આવી ગઇ. શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા માટે મજબૂર થઇ ગઇ. કિશોરીને એકલા ઠોકરો ખાતાં જોઇ કોઇ જાગૃતને શંકા ગઇ અને તેની જોડે વાત કરી તો તેની વેદના સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઇ. ત્યારબાદ જાગૃક નાગરિકે 181 અભયમને ફોન કરી જાણ કરી હતી.
[google_ad]
કિશોરીની સુરક્ષા માટે 181 અભયમ મહીલા હેલ્પલાઇનને જાણ કરતાં કાઉન્સિલર લક્ષ્મીબેન અને એ.એસ.આઇ. બબીબેન બંને મહીલા કર્મીઓ સ્થળ પર પહોંચી કિશોરીને સાથે લઇ આવી આશ્વાસન આપી તેને ઘરે મોકલી આપવા માટે સમજાવટ કરી હતી. પરંતુ કિશોરી પિતાના ત્રાસના ભયથી ઘરે જવા તૈયાર ન હોય તેને સુરક્ષિત આશ્રય ગૃહમાં મોકલી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.
[google_ad]
કિશોરી : મારા-પિતા મને લાકડીએ લાકડીએ મારે છે મારે ઘરે નહીં જવું.
181 મહીલા કર્મી : કેમ ઘરે નહીં રહેવું ?
(રડતાં રડતા) કિશોરી : મને બહુ મારે છે બીજે ક્યાંક મૂકી જાઓ ઘરે નહીં.
[google_ad]
181 : ક્યાં મૂકવા આવીએ ?
કિશોરી : મને મારા-પિતા બહુ મારે છે પહેલાં લાકડીએ લાકડીએ મારી હતી. મારે અહીંયા નથી રહેવું. (રડતાં રડતાં બૂમો પાડીને) મારે નથી રહેવું નથી રહેવું.
[google_ad]
From-Banaskantha update