વાવના ધારાસભ્યે વિદ્યાર્થીઓની સ્કોલરશિપની આવક મર્યાદા વધારવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

- Advertisement -
Share

 

વાવના ધારાસભ્યે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશિપની આવક મર્યાદા વધારવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટેની રૂ. 2.50 આવક મર્યાદાથી વધારી રૂ. 8 લાખ કરવા રજૂઆત કરાઇ છે.

 

 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશિપની આવક મર્યાદા વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો છે.

 

જેમાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટેની રૂ. 2.50 આવક મર્યાદાથી વધારી રૂ. 8 લાખ કરવા રજૂઆત કરાઇ છે. જ્યારે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપના લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2.50 લાખની છે.

 

સામાન્ય કુટુંબ મોટાભાગના અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મુશ્કેલીનો ભોગ બને છે. ક્રિમીલીયર સર્ટીફીકેટ માટે ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓની આવક મર્યાદા રૂ. 8 લાખ છે.

 

છેલ્લા 10 વર્ષમાં મળેલા પગાર પંચના કારણે ચોથા વર્ગના કર્મચારીઓના પગારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2.50 લાખ કરતાં પણ વધી જાય છે.

 

જેના કારણે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના અસંખ્ય વિદ્યાર્થીઓ આ આવક મર્યાદાના કારણે શૈક્ષણિક શિષ્યવૃતિના લાભોથી વંચિત રહી જાય છે.

 

જ્યારે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી લાવવા છતાં પણ આવક મર્યાદાના કારણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં શિષ્યવૃતિનો લાભ નહી મળવાના કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જાય છે.

 

જ્યારે અધવચ્ચેથી અભ્યાસ છોડવા મજબૂર થવું પડે છે. આથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળે તે માટે આવક મર્યાદા રૂ. 2.50 લાખથી વધારીને રૂ. 8 લાખ કરવા વાવના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!