બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ નેશનલ હાઇવે પર બે બાઇક સવાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને 108 વાનની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક નેશનલ હાઇવે પર મંગળવારે રાત્રિના સુમારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ઘાયલોને 108 વાન દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update