પાંથાવાડા ટોલનાકા માફી મુદ્દે ધાનેરાના ધારાસભ્ય આવ્યા સ્થાનિકોની પડખે

Share

નેશનલ હાઈવે નંબર 168 પર ટોલ ટેક્સ લેવાનું શરૂ કરતા સ્થાનિક લોકો કરી રહ્યા છે વિરોધ. સ્થાનિક લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ટોલનાકાની આસપાસ આવેલા પાંથાવાડા, વાછડાલ, વિરોલ અને ખિંમત ગામના લોકોને વારંવાર અવરજવર કરવાની હોવાથી તેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેની માંગ સાથે બે દિવસ અગાઉ ખેડૂતો તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં રોડ પર ધસી આવ્યા હતા.

જેથી આજ રોજ ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો સ્થાનિક લોકોનુ ટોલ ટેક્સ લેવામાં આવશે તો આવનાર દિવસોમાં ખેડૂતો તેમજ પશુપાલકો રોડ બંધ કરી ધરણા ઉપર ઉતરશે જેથી વહેલામાં વહેલી તકે સ્થાનિક લોકોને ટોલમાંથી મુકિત આપવામાં આવે.

 

 

From – Banaskantha Update


Share