ડીસાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરાયું હતું.જેમાં ડીસા શહેરમાં આવેલી પિંક સીટી ભાગ-1 માં રહેતાં ધર્માજી દલાજી પરમાર (માળી) અને રાવતાજી ધર્માજી પરમાર (માળી) પરિવાર તરફથી નિવાસસ્થાનેથી પ્રથમ
પગપાળા યાત્રા સંઘનું ગુરૂવારે વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે ડી.જે.ના તાલે ભાવિક ભક્તો ઝૂમી ઉઠયા હતા. આ પ્રસંગે દેવાજી પરમાર, પોપટલાલ પરમાર, કાન્તીલાલ પરમાર, અશોકભાઇ પુનમાજી સોલંકી, ભાવેશકુમાર
અશોકભાઇ સોલંકી, જગદીશભાઇ એન. ભાટી અને નંદુલાલ દીપાજી સુંદેશા સહીત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં યાત્રા સંઘમાં જોડાયા હતા. જ્યારે ભાવિક ભક્તો દ્વારા દ્વારકા સંઘ પહોંચી જય રણછોડ માખણ ચોરના ચરણમાં ભક્તો શિશ નમાવશે.
From-Banaskantha update