ડીસા-રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કાંકરેજના શિહોરી નજીક આવેલ ચેખલા રાજધાની હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવક બાઇક લઇ જઇ રહ્યો હતો તે દરમિયાન હાઇવે પર આખલો વચ્ચે આવી જતા યુવક બાઈક સાથે આખલાને અથડાયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોના કારણે અનેક વાર હાઇવે પર અકસ્માતના બનાવો બની રહ્યા છે તેમાં કેટલાય માસુમોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ડીસા રાધનપુર હાઇવે પર કાંકરેજના શિહોરી નજીક આવેલ ચેખલા રાજધાની હોટલ પાસે એક અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક સવાર યુવક પોતાનું બાઇક લઇ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો અચાનક નેશનલ હાઈવે પર આખલો વચ્ચે આવી જતા યુવક બાઇક સાથે આખલાને અથડાયો હતો જેમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક વ્યક્તિની લાશને પી.એમ અર્થે ખસેડી હતી.
પરંતુ અનેક વાર રખડતા ઢોરના કારણે સ્થાનિક લોકોએ સ્થાનિક તંત્રની તેમજ ઉપર સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી હાઇવે પર કે પછી શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને જો સરકાર દ્વારા રખડતા ઢોરોને શહેર તેમજ હાઇવે પરથી મુક્ત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં હજુ પણ અનેક લોકો રખડતા ઢોરોના કારણે પોતાનો જીવ ગુમાવશે તો નવાઈ નહી…
From – Banaskantha Update