પાલનપુરના ગોકુળપુરામાં માર્ગના કામ દરમિયાન ભેખડ ઘસી પડતાં 3 મજૂરો દટાયા : એક મહીલાનું મોત

Share

 

પાલનપુર તાલુકાના ગોકુળપુરા ગામમાં માર્ગ પર નાળુ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં મજૂરો કામ કરતા હતા. જ્યાં સોમવારે સાંજે જે.સી.બી.થી માટી ખોદવામાં આવી રહી હતી. ત્યારે અચાનક માટીની ભેખડ ઘસી પડતાં 3 મજૂરો દટાયા હતા. જ્યાં મહીલાનું મોત નિપજ્યું હતું.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ગોકુળપુરા ગામમાં માર્ગની કામગીરી ચાલી રહી હતી. જ્યાં બહારના મજૂરો કામ કરી રહ્યા છે. દરમિયાન સોમવારે સાંજે રોડની સાઇડમાં નાળુ બનાવવા ચાલી રહેલી કામગીરી દરમિયાન દીવાલ પર ફરમા ફીટ કરાઇ રહ્યા હતા.

 

તેવામાં અચાનક જ બાજુમાં રહેલા માટીની ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરો માટીમાં દટાયા હતા. તે વખતે બે વ્યક્તિઓને તુરંત બહાર ખેંચી કઢાયા હતા. જયારે મહીલાનો શ્વાસ રૂંધાઇ જતાં મોત નિપજ્યું હતું.

 

આ અંગે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, ‘રાજસ્થાન બાસવાડા ગામની ઝીણીબેન લાલસિંહ માળીવાટ (ઉં.વ. આ. 35) બેભાન થતાં 108 વાન મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. સારવાર મળે તે પહેલાં મહીલાનું મોત નિપજ્યું હતું.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share