પાલનપુરમાં જૂના દાયરા વિસ્તારમાં રહેતાં જહાંગીરભાઇ પઠાણ સોમવારે બપોરના સુમારે પોતાની પત્ની સાથે પોતાનું ટુ-વ્હીલર વાહન લઇને ધનિયાણા ચાર રસ્તા નજીક આવેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા ગયા હતા અને પેટ્રોલ પુરાવીને તેઓ ધનિયાણા ચાર રસ્તા તરફ આવવા નીકળ્યા હતા.
ત્યારે એક જીપના ચાલકે તેમને ધડાકાભેર ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે ઉમટેલા લોકોએ તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતાં તેમના પરિવારજનોમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઇ હતી. જો કે, આ અકસ્માતમાં તેમની પત્નીનો આબાદ બચાવ થયો હતો.
From-Banaskantha update