થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પરથી વાવ તાલુકાની મહિલાનાં ચંપલ પડેલાં મળી આવતાં તેણી કેનાલમાં પડી હોવાની આશંકાએ તેણીની તરવૈયાની મદદથી ગુરુવારની બપોર સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી છતાં કોઇ ભાળ મળી ન હતી.
[google_ad]
વાવના મોરીખા ગામની માનસિક બીમાર મહિલા 2 દિવસથી અચાનક ગુમ થઇ હતી. બીજી બાજુ થરાદ-વાવ હાઇવે પરથી પસાર થતી નર્મદાની નહેરના પુલ પર ચંપલ પડેલાં મળ્યાં હતાં. આથી 25 વર્ષીય મહિલા નહેરમાં પડ્યાની આશંકાએ પરિવારના કહેવાથી પાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા શોધખોળ હાથ ધરાઇ છતાં કોઇ ભાળ મળી ન હતી.
From – Banaskantha Update