વડગામના ચંગવાડામાં મકાનમાં આગ લાગતાં દોડધામ : મોટી દુર્ઘટના ટળી

Share

 

વડગામના ચંગવાડા ગામમાં બે માળના રહેણાંક મકાનમાં બુધવારની મધ્ય રાત્રિએ આકસ્મિક અચાનક પ્રથમ માળે આગ લાગતાં અફડા-તફડી મચી ગઇ હતી. આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. વડગામના ચંગવાડા ગામે બે માળના રહેણાંક મકાનમાં બુધવાર રાત્રે પરિવાર નીચે સૂતો હતો.

[google_ad]

 

 

ત્યારે ઉપરના માળે આકસ્મિક અચાનક આગ ભભૂકી હતી. સળગવાની દુર્ગંધથી મકાન માલિક નરેશભાઇ ખેમાભાઇ પ્રજાપતિ ઉપર જઇ દરવાજો ખોલી જોતાં આગ લાગેલી માલૂમ પડતાં તાત્કાલીક ફાયર-ફાઇટરની ટીમને બોલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

જો કે, આગને લઇ કોઇ મોટી જાનહાની થઇ ન હતી. જ્યારે મકાનમાં પડેલા કરીયાણાનો માલ-સામાન સહીત ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે મકાન માલિકને કરીયાણાનો માલ-સામાન બળીને ખાખ થઇ જતાં નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share