પાલનપુર તાલુકાના ચંડીસરમાં માળવાપરા ખેતરમાં રહેતો યુવક દુકાને દૂધ લેવા ગયો હતો. ત્યારે હાઇવે ઉપર એસ. ટી. બસના ચાલકે ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતુ.
[google_ad]
પાલનપુર તાલુકાના ચંડીસર ગામે માળવાપરા ખેતરમાં રહેતા પ્રકાશજી સોમાજી ઠાકોર બપોરના સુમારે ખેતરેથી માળવાપરા દુકાને દૂધ લેવા જતા હતા. ત્યારે શક્તિફાર્મ નજીક રોડ ઉપર એસ.ટી. બસ નં. GJ-18-Z-5122ના ચાલકે પાછળથી ટક્કર મારી હતી.
[google_ad]
આ અકસ્માતમાં પ્રકાશજીને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકના ભાઇ મુકેશજી સોમાજી ઠાકોરે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
From – Banaskantha Update