મા અંબાના ભક્તો ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર પર્વત આવેલાં 51 શક્તિપીઠ પરિક્રમા કરી શકશે : અંબાજી મંદિર ટ્રસ્ટનું આયોજન

Share

હવે મા અંબાના ભક્તો પણ જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ એમ પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા કરી શકશે. આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયું છે. ટ્રસ્ટના ચેરમેન જીલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, સંભવત: એક વર્ષ બાદ એટલે કે આવતા શિયાળામાં આ પરિક્રમા શરૂ થઇ શકે છે.

[google_ad]

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ વિવિધ રજવાડાઓમાં વેરાયેલો હતો, તેને એક ભારત કરવાનું કામ ગુજરાતના પનોતાપુત્ર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. તેવી જ રીતે દેશ અને વિદેશમાં આવેલા માતાજીનાં 51 શક્તિપીઠોના નિર્માણનું કામ પણ ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ગબ્બર ખાતે કરાવ્યું છે.

[google_ad]

advt

એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નહોતું, તેથી ભારત તેમજ શ્રીલંકા, બંગ્લાદેશ, નેપાળ વગેરે દેશોમાં આવેલાં માતાજીનાં સ્થાનકો પ્રમાણે આબેહૂબ 51 શક્તિપીઠોનું નિર્માણ કરાવ્યું છે. જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા યોજવાનું અંબાજી મંદિર ટ્રસ્ટનું આયોજન છે. જેનાથી અંબાજી દર્શને આવતાં કરોડો માઈભક્તો એક જ જન્મમાં 51 શક્તિપીઠનાં દર્શનનો લ્હાવો લઈ શકશે.

[google_ad]

 

આવતાં શિયાળામાં એટલે કે એક વર્ષમાં પરિક્રમા માટેનું આયોજન કરવામાં આવશે. જેનાથી અંબાજી દર્શને આવતાં માઈભક્તો એક જ જન્મમાં 51 શક્તિપીઠોનાં દર્શનનો લ્હાવો લઈ શકશે. કેટલા દિવસ અને કયા સમયે પરિક્રમા કરવી તે હવે નક્કી કરવામાં આવશે. – આનંદ પટેલ, જીલ્લા કલેક્ટર

[google_ad]

 

ગિરનારમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી લીલી પરિક્રમા યોજાય છે. 36 કિલોમીટરની આ પરિક્રમામાં 5 દિવસ લોકો પ્રકૃતિના ખોળે જય ગિરનારીના નાદ સાથે જીવ અને શિવના મિલનની અનુભૂતિ કરતા હોય છે. જેમાં 8 લાખથી 10 લાખ લોકો જોડાતા હોય છે.

 

From – Banaskantha Update


Share