બનાસકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર જગ્યાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબા યોજવામાં આવતાં ખેલૈયાઓમાં ખુશી જોવા મળી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીને લઈ નવરાત્રીના પર્વ પર રોક લાગી હતી. જ્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ યોજવામાં આવી રહી છે.
[google_ad]
\
પાલનપુરના જૂના ટેલિફોન એક્ષચેન્જ પાછળ અંબિકા વાડી સામે આગમાતા યુવક મંડળ દ્વારા ગરબાનું દર વર્ષ ધામધૂમથી ખેલૈયાઓ નવરાત્રિમાં ઝૂમી ઉઠતાં હતા.
[google_ad]
જોકે, આ વર્ષે નવલી નવરાત્રિના આજે બીજા દિવસે ખેલૈયાઓ હર્ષ ઉલ્લાસથી મજા માંણી હતી અને આગમાતા યુવક મંડળ સભ્યો દ્વારા માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
From – Banaskantha Update