બનાસકાંઠા જીલ્લા તલાટી કમમંત્રી મહા મંડળ દ્વારા સોમવારે જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમના પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરાઇ હતી. તલાટી કમમંત્રી મહા મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી સહીતની આગેવાની હેઠળ સોમવારે બનાસકાંઠા જીલ્લા કલેક્ટર કચેરીએ પહોચી જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
[google_ad]
જેમાં પડતર પ્રશ્નો બાબતે તલાટી મહા મંડળે વારંવાર રજૂઆતો છતાં પણ ઉકેલ ન આવતાં આવેદનપત્ર આપ્યું હતું.આગામી સમયમાં તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનના કાર્યક્રમો કરાશે.
[google_ad]
જેમાં બનાસકાંઠા જીલ્લાના તમામ તલાટી કમમંત્રીઓ જોડાશે તેમ જણાવવામાં આવ્યું હતુ. જ્યાં ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના ઉપપ્રમુખ રામભાઈ દેસાઈ,બનાસકાંઠા જીલ્લા પ્રમુખ મહેશભાઈ ડેલ, મહામંત્રી હેમંતભાઈ પંચીવાલા, ગિરીશભાઈ એટોસ, મહેશભાઈ ચૌધરી, મેહુલભાઈ મોદી, સ્મિથભાઈ રાણા અને ડીસા મંડળના પ્રમુખ અલ્કેશભાઈ ગૌસ્વામી જોડાયા હતા.
From – Banaskantha Update