દિયોદરમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં મજૂરનું મોત

Share

દિયોદરમાં આવેલ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે વર્ષો જૂની બિલ્ડીંગમાં મકાન તોડવાનું કામ મજૂરો કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક મકાનની દીવાલ ધરાશાયી થતાં એક મજૂર ઉપર પડતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

[google_ad]

જ્યારે 108 વાન મારફતે સારવાર અર્થે પહોંચે તે પહેલાં મજૂરે દમ તોડ્યો હતો. આ ઘટનાની જાણ દિયોદર પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દિયોદરમાં આવેલ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે વર્ષો જૂની બિલ્ડીંગમાં મકાન તોડવાનું કામ મજૂરો કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક મકાનની દીવાલ ધરાશાયી થતાં સિધ્ધપુરના મગનજી રવાજી ઠાકોર ઉપર પડતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

advt

[google_ad]

જ્યારે 108 વાન મારફતે સારવાર અર્થે પહોંચે તે પહેલાં મજૂરે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે મૃતકની લાશને પી.એમ. કરી વાલી વારસોને સુપ્રરત કરી હતી. આ બનાવની જાણ દિયોદર પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે યુવકના મોતના સમાચાર પરિવારજનોને થતાં કાલીમા પ્રસરી ગઇ હતી. જ્યારે ગામમાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો. આ અંગે દિયોદર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share