બનાસકાંઠા જિલ્લાના 24 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરાયા

Share

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-2021 માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા અને તાલુકા કક્ષાના 24 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે.

[google_ad]

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021માં પ્રાથમિક વિભાગમાંથી 2 શિક્ષકો પસંદગી કરવામાં આવી છે. જેમાં લાખણી તાલુકાની મોરાલ પ્રાથમિક શાળાના શિક્ષક સુખદેવરામ ઇશ્વરલાલ જોષી અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળા શિક્ષિકા રમીલાબેન દાનાભાઇ મકવાણાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. સી.આર.સી./બી.આર.સી./કે.નિ./HTAT આચાર્ય વિભાગમાંથી દાંતીવાડા બી.આર.સી. કો.ઓર્ડિનેટર જીગર જયંતીલાલ જોશીને પારિતોષિક અપાયો છે.

[google_ad]

તાલુકા કક્ષાના શ્રેષ્ઠો પારિતોષિક 21 શિક્ષકોને એનાયત કરવામાં આવ્યાં છે. જેમાં પાલનપુર તાલુકાની સરીપડા પ્રા. શાળાના દલજીભાઇ વિરસંગભાઇ રાતડા અને ભૂતેડી પ્રા.શાળાના પરેશકુમાર બાબુભાઇ પુરોહિત, વડગામ તાલુકાની નાવીસણા પ્રા.શાળાના ભરતજી પરબતજી રાઠોડ અને સીસરાણા પે. કેન્દ્ર શાળાના દિલીપકુમાર હરગોવનભાઇ પ્રજાપતિ, દાંતા તાલુકાની બારવાસ પ્રા. શાળાના હેતલબેન દશરથભાઇ પટેલ, ભાભર તાલુકાની રણછોડપુર પ્રા. શાળાના મહેન્દ્રકુમાર છનાભાઇ રાવળ, લાખણી તાલુકાની માણકી પ્રા. શાળાના ભાવિકકુમાર સોમાભાઇ પટેલ અને મડાલ પ્રા. શાળાના રોશનીબેન સુરેશકુમાર જોશી,

[google_ad]

થરાદ તાલુકાની વડગામડા પ્રા. શાળાના રાયમલભાઇ ઉમાભાઇ પરમાર અને ઉંટવેલીયા પ્રા. શાળાના દિનેશભાઇ ધનાભાઇ ચૌહાણ, વાવ તાલુકાની ટડાવ પ્રા.શાળાના મયુરીબેન અક્ષયકુમાર પાધ્યા અને ઢેરીયાણી પ્રા. શાળાના રવજીભાઇ રૂપસીભાઇ કાંદળી, કાંકરેજ તાલુકાની રણવાડા પ્રા. શાળાના નિકુલકુમાર પ્રવિણચંદ્ર સથવારા અને ઉણ પે. કેન્દ્ર શાળાના સિધ્ધરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા,

advt

[google_ad]

દિયોદર તાલુકાની જાલોઢા પરા પ્રા. શાળાના લાલજીભાઇ બહેચરભાઇ સોલંકી અને જાડા પ્રા. શાળાના અલ્પેશકુમાર સોમાભાઇ પ્રજાપતિ, દાંતીવાડા તાલુકાની ભાખર મોટી પ્રા. શાળાના દિપીકાબેન નટવરલાલ પટેલ અને માળીવાસ પ્રા. શાળાના નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ, ડીસા તાલુકાની રસાણા પ્રા. શાળાના પ્રકાશકુમાર પાનાચંદ સોલંકી અને ડાવસ 1 પ્રા. શાળાના નરસિંહભાઈ બાબુભાઇ સુથાર તથા અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ પે. કેન્દ્ર શાળાના કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતરને તાલુકા કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવ્યા.

 

From – Banaskantha Update


Share