ડીસા, પાલનપુર અને અમીરગઢમાં દિવસભરના ઉકળાટ બાદ વરસાદ

Share

બનાસકાંઠા જીલ્લામાં ઘણા લાંબા સમયથી મેઘરાજાએ રીસામણા લીધા હતા. જ્યારે સોમવારે સાંજના સુમારે પાલનપુર, ડીસા અને અમીરગઢ તાલુકાના કેટલાંક વિસ્તારમાં મેઘ સવારી થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો સહીત પશુપાલકો ચિંતિત બન્યા છે અને વરસાદ ન થવાને કારણે દિવસભર ઉકળાટ અને બફારો પણ રહેતો હતો. જોકે, સોમવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી.

Advt

[google_ad]

જ્યારે સોમવારે જન્માષ્ટમી પાવન દિવસે અચાનક વાતાવરણ પલ્ટો આવતાં પાલનપુર, ડીસા, અમીરગઢ અને ઇકબાલગઢ સહીતના પંથકમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોના મૂર્જાતાં પાકોને નવું જીવનદાન મળવાની આશા જાગી છે.

 

[google_ad]

દિવસભર ઉકળાટ અને બફારા બાદ સોમવારે સાંજના સુમારે મેઘરાજાએ પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહત અનુભવી હતી. મેઘરાજાએ જે પ્રમાણે મોડે મોડે પણ પધરામણી કરીને લોકોમાં ફરી એક આશા બંધાવી છે તે આશા નિષ્ફળ ન નીવડે અને સારો એવો વરસાદ થાય તેવી લોકો આશા કરી રહ્યા છે.


Share