બનાસકાંઠાના દાંતીવાડાના શેરગઢ ગામમાં શનિવારની મોડી રાત્રે સગા નાના ભાઇએ જ પોતાના મોટા ભાઇની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોતાની પત્ની સાથે મોટા ભાઇને આડા સબંધો હોવાનો વહેમ રાખી તકરાર કરી નાનો ભાઇ મોટા ભાઇને માથામાં ઉપરાઉપરી પાવડાના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસે મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી ગણતરીના કલાકોમાં હત્યારા નાના ભાઇને ઝડપી ઝેલના હવાલે કર્યો છે.
[google_ad]
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, અત્યારના ઘોર કળિયુગમાં સબંધોનું ખૂન કરતી હોવાની વધુ એક દાંતીવાડાના શેરગઢ ગામમાં બની છે. દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામમાં રહેતાં રતુભાઇ ખોડાભાઇ દેવીપૂજક તેમના મુકબધીર નાના ભાઇ ભરતભાઇ ખોડાભાઇ દેવીપૂજક (ઉં.વ.આ. 38) ઓછું સાંભળે છે અને બોલી શકતો નથી મૂંગો છે તેમજ તેના પરિવાર જોડે પોતાના માતા-પિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહીને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.
[google_ad]
જોકે, શનિવારની મોડી રાત્રે રતુભાઇ, ભરતભાઇ અને ભરતભાઇની પત્ની ગીતાબેન અને તેના પુત્રો ઘરે હતા. ત્યારે ભરતભાઇએ પોતાના મોટા ભાઇ સાથે તેની પત્ની ગીતાબેનને આડો સબંધ છે તેવો વહેમ કરીને રતુભાઇ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ રાત્રે રતુભાઇ ખાટલામાં સૂતા હતા. ત્યારે ભરતભાઇ પોતાના મોટા ભાઇ રતુભાઇના માથાના ભાગે ઉપરાઉપરી પાવડાના ઘા મારતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં જ લોહી લુહાણ થયેલા રતુભાઇનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે નાનો ભાઇ હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
[google_ad]
જેથી આ બનાવને પગલે આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતાં જ દાંતીવાડા પોલીસ મથકના પી.એસ.આઇ. અજયભાઇ ચૌધરી, સ્ટાફના માણસો, મામલતદાર અને એફ.એસ.એલ.ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે પાંથાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.
[google_ad]
જ્યારે સગા મોટા ભાઇની હત્યા કરનાર મુકબધીર હત્યારા નાના ભાઇ ભરતભાઇ દેવીપૂજકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યો હતો. આ અંગે દાંતીવાડા પોલીસ મથકે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારા નાના પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
આ અંગે બનાસકાંઠાના એ.એસ.પી. સુશિલભાઇ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘પોતાની પત્ની સાથે આડા સબંધનો વહેમ રાખી નાના ભાઇએ પોતાના મોટા ભાઇની હત્યા કરી છે. હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.’
From – Banaskantha Update