ધાનેરામાં રેલ નદીમાં નવા નીર આવતાં ખેડૂતો હરખાયા : તંત્ર અને ખેડૂતોને એલર્ટ રહેવા આદેશ

- Advertisement -
Share

ધાનેરા નજીક રેલ નદીમાં સામાન્ય વરસાદથી નવા નીર આવતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. જેમાં રવિવારે રાત્રે વરસાદી માહોલ સર્જાતાં રેલ નદી ફરી સજીવન થઇ છે. રેલ નદીને લઇ તંત્ર અને ખેડૂતો પણ હવે એલર્ટ થઇ ગયા છે.

 

 

રાજસ્થાન સરહદે તાલુકાના ગામડા નજીક રેલ નદીમાં નવા નીર આવતાં ખેડૂતો હરખાયા છે. ધાનેરા નજીક રેલ નદી પસાર થાય છે. જેમાં રવિવારે રાત્રે વરસાદી માહોલ સર્જાતાં રેલ નદી ફરી સજીવન થઇ છે.

 

 

જેમાં સામાન્ય વરસાદથી નવા નીર આવતાં ખેડૂતો અને લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. સામાન્ય વરસાદથી રેલ નદીમાં નવા નીર આવતાં સ્થાનિકોમાં રાહતની લાગણી ફેલાઇ ગઇ છે.

રેલ નદીને લઇ તંત્ર અને ખેડૂતો પણ એલર્ટ હવે બની ગયા છે. જા કે, 2015 અને 2017 માં રેલ નદીમાં પૂર આવતાં વિનાશ થયો હતો. જેમાં પૂર આવતાં લોકોને મોટું નુકશાન વેઠવવાનો વારો આવ્યો હતો. જ્યારે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!