દાંતાના ચીખલામાં પિતરાઇ ભાઇઓએ જમીનની અદાવતમાં ભાઇને મોતને ઘાટ ઉતાર્યો

- Advertisement -
Share

જમીન પડાવી લેવા અવાર-નવાર ઝઘડાઓ કરતા હતા : જમીનની અદાવતમાં હત્યા કરાઇ હોવાના પરિવારજનોના આક્ષેપ

 

દાંતાના રાણપુરનો યુવક શનિવારે સાંજે તેમના પરિવાર સાથે તેના પિતરાઇ બહેનના લગ્નમાં ચીખલા ગામે ગયા હતા.
જ્યાં યુવકના પિતરાઇ ભાઇઓએ બોલાચાલી કરી વહેલી સવારે યુવકને ભોળવી ઘરપાછળ લઇ જઇ પીઠના ભાગે ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જયારે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતાના રાણપુર ગામના સુરમાભાઇ કાળાભાઇ પરમાર તેમના પરિવાર સાથે શનિવારે સાંજે ચીખલા ગામે તેમના કાકા નરસાભાઇ નાનાભાઇ પરમારની દિકરીના લગ્નમાં ગયા હતા.
ત્યાં તેમના પિતરાઇ ભાઇ ખીમાભાઇ ઉદાભાઇ પરમારને મળ્યા હતા. પણ તેને પિતરાઇ ભાઇ હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી તેનું ગળુ પકડી લેતાં મામલો બિચક્યો હતો.

 

એક તરફ લગ્નના ગીતો ગવાતા હતા. ત્યારે રવિવારે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સુમારે સુરમાભાઇના 3 પિતરાઇ ભાઇઓ સુરમાભાઇને ફોસલાવી ઘરની પાછળ લઇ જઇ અણદાભાઇ ઉદાભાઇ
પરમાર અને શંકરભાઇ ઉદાભાઇ પરમારે સુરમાભાઇને પકડી રાખ્યો હતો અને ખીમાભાઇ ઉદાભાઇ પરમારે તેના હાથમાના ચપ્પાના પીઠના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જયારે 3 આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
ચપ્પાના ઘાથી ઇજાગ્રસ્ત બનેલો સુરમાભાઇ તરફડીયા મારતો ઘર આગળ જ તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યાં સમગ્ર લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતાં દોડધામ મચી હતી.
આ બાબતની જાણ અંબાજી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મરનાર સુરમાભાઇ પરમારના મૃતદેહને અંબાજીની જનરલ હોસ્પિટલમાં લાવી તેના પી.એમ. ની તજવીજ હાથ ધરી હતી.

 

આદીવાસી સમાજના અનેક લોકો મહીલાઓ સહીત અંબાજીની જનરલ હોસ્પિટલમાં પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને ફરિયાદ આપતાં મૃતકની માતા અને બહેનોએ પોતાના નિવેદન નોંધાવ્યા હતા

 

અને જણાવ્યું હતું કે ‘આરોપીઓ જમીન પડાવી લેવા અવાર-નવાર ઝઘડાઓ કરતા હતા. જેથી આ હત્યા જમીનની અદાવતમાં કરાઇ હોવાનું જણાવી આરોપીને સજા કરવાની માંગ કરી હતી.’

 

હત્યાની ફરિયાદ નોંધાતાં પોલીસે 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ મીડીયા સમક્ષ કાંઇ કહેવા ઇન્કાર કર્યો હતો.

 

હત્યા કરનાર શખ્સોના નામ
(1) ખીમાભાઇ ઉદાભાઇ પરમાર (રહે.રાણપુર,ગોદરીયાફળી, તા. દાંતા)
(2) શંકરભાઇ ઉદાભાઇ પરમાર (રહે.રાણપુર,ગોદરીયાફળી, તા. દાંતા)
(3) અણદાભાઇ ઉદાભાઇ પરમાર (રહે.રાણપુર,ગોદરીયાફળી, તા. દાંતા)

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!