ડીસા તાલુકાના આસેડા ગામમાં તેના પિયરમાં રહેતી પરણિતાને તેના પતિ અને સાસુ- સસરા દ્વારા તારા બાપના ઘરે કેમ બેઠી છે કહી દહેજની માંગણી કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.
[google_ad]
આ અંગેની વિગત જોઇએ તો, ડીસા તાલુકાના આસેડા ગામે રહેતી કેહરબેન જેન્તીજી ઠાકોરના લગ્ન દસેક વર્ષ અગાઉ કોઇટા ગામના નટવરજી ઉર્ફે દીપાજી સોમાજી ઠાકોર સાથે થયેલ હતાં. જેમનો ઘરસંસાર શરૂઆતમાં ત્રણેક વર્ષ સારી રીતે ચાલેલો અને તેમને સંતાનમાં બે પુત્રોના જન્મ પણ થયેલ હતાં.
[google_ad]
જ્યારે તે બાદ પરણિતા ઉપર તેના પતિ તેમજ સાસુ-સસરા દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતાં હતો. જેના લીધે પરિણતા છેલ્લા ત્રણેક વર્ષથી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેતી હતી. જ્યારે ગત તા.22/07/2021ના તેના પતિ અને તેના સાસુ-સસરા તેમના પિયર આસેડા મુકામે આવી પરણિતાને તારા પિયરમાં કેમ બેઠેલ છે તેમ કહી ભુંડી ગાળો બોલી ગડદાપાટુનો માર મારેલો જેથી પરણિતાએ બુમાબુમ કરતાં તેના માતા-પિતાએ આવી પરણિતાને મારમાંથી છોડાવેલ અને આ લોકો જતા જતાં પરણિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પરણિતાએ તેના પતિ નટવરજી ઉર્ફે દીપાજી સોમાજી ઠાકોર તથા સસરા સોમાજી રતુજી ઠાકોર તેમજ સાસુ સીતાબેન સોમાજી ઠાકોર વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે આ અંગે ડીસા રૂરલ પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.