હુંડીયા પરિવારમાં અણમોલ અવસર શંખેશ્વરજી તીર્થમાં ડીસાના કાંતાબેન કાંતિલાલજી હુંડીયા પરમ કૃપાળુ પરમાત્માનાં સંયમ માર્ગ પર નીકળી ગયા છે. આજે સવારે તેઓએ દિક્ષા લઈ લીધી. સૌથી મોટી અનોખી વાત એ છે કે સંયમ માર્ગે જનારા મુમુક્ષુ કાંતાબેને પોતાના પરિવારને પણ આ વિશે જાણ કરી નહોતી. કાંતાબેન તેમનાં પતિ કાંતિભાઈ સાથે પરમ દિવસે દાદાનાં પવિત્ર ધામ શંખેશ્વરજી તીર્થ ગયા હતા અને આજે કોઇપણ જાતનો આડંબર કર્યા વગર પ્રભુ પરમાત્માનાં સંયમ માર્ગે તેઓ નીકળી પડ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓએ તેમનાં દિકરા સુરેશને પણ આ વાત જણાવી નહીં હતી કે તેઓ દિક્ષા લઇ રહ્યા છે. કાંતાબેને દિક્ષા શંખેશ્વરજી ખાતે લીધેલ છે. જયારે તેમનાં દિકરા સુરેશ ભાઈ તેમનાં ઘરે ડીસા છે.
- Advertisement -