વાણી વિહીર ગામના ઘરેથી ભાગેલાં પ્રેમી-પંખીડાએ તાપી નદીમાં આપઘાત કરતાં ચકચાર : પ્રેમિકાનો મૃતદેહ મળ્યો, પ્રેમીની શોધખોળ ચાલુ

- Advertisement -
Share

મહારાષ્ટ્રના વાણી વિહીર ગામના પ્રેમી-પંખીડા સાત દિવસ પહેલાં ઘરેથી ભાગ્યા હતા

મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના વાણી વિહીર ગામના પ્રેમી-પંખીડા સાતેક દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયા હતા. તાપી જીલ્લાના કૂકરમુંડા ગામની સીમમાં તાપી નદીના કાવિઠા પુલની ઉપર બાઇક મૂકી બંને પ્રેમી-પંખીડાએ નદીમાં કૂદી મોતની છલાંગ લગાવી હતી.

[google_ad]

જ્યારે સ્થાનિક લોકોએ ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરાતાં શુક્રવારે પ્રેમિકાનો મૃતદેહ મળી આવ્યો છે.

[google_ad]

[google_ad]

જ્યારે પ્રેમીની શોધખોળ ચાલી રહી છે. આ અંગે મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના વાણી વિહીર ગામના યુવકે નિઝર પોલીસ મથકમાં જાણ કરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, તાપીના કૂકરમુંડા તાલુકાના જૂના કૂકરમુંડા ખાતે આવેલા અને નિઝરના વેલ્દા ટાંકીથી કૂકરમુંડા તરફ જતા રસ્તા પરના તાપી નદી પુલ ઉપરથી ગતરોજ સાંજે પુલ પર બાઇક મૂકી એક યુવક અને યુવતી નદીમાં કૂદી પડ્યા હતા.

[google_ad]

આ બાબતે સ્થાનિકોએ તપાસ કરતાં મહારાષ્ટ્રના જીલ્લાના અક્કલકૂવા તાલુકામાં આવેલા વાણી વિહીર ગામના ગુરૂદત્તભાઇ રાજેસિંગભાઇ પાડવી (ઉં.વ.૨૬) અને એ જ ગામની તેની પ્રેમિકા તનશ્રીબેન ગોસાવી (ઉં.વ. ૧૯) હોવાનું સામે આવ્યું હતું.

[google_ad]

બંને પ્રેમી-પંખીડા સાતેક દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયા હતા. તે બંનેને ભાગી જવા બાબતે પોતાના બંને પરિવાર અને સમાજમાં વાત થાય તેમજ ઇજ્જત જવા અંગે પસ્તાવો થતાં પોતે પોતાની જાતે બંને પ્રેમી-પંખીડાએ તાપી નદીના પાણીમાં પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.

[google_ad]

આ અંગે નંદુરબાર જીલ્લાના વાણી વિહીર ગામના જીતેન્દ્રભાઇ દોલતભાઇ પાડવીએ નિઝર પોલીસ મથકમાં જાણ કરી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!