કાશ્મીરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યાં : પાલનપુરના રામપુરાના મેજર સામેલ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના જૂદા-જૂદા ગામોના અનેક યુવાનો મા ભોમની રક્ષા કાજે સરહદ પર સેવા બજાવી રહ્યા છે અને બનાસકાંઠાનું નામ રોશન કરી રહ્યા છે. શુક્રવારે કાશ્મીરમાં બે ખૂંખાર આતંકવાદીને ઠાર કરનારી ટીમમાં પાલનપુરનો યુવાન પણ સામેલ હતો. શુક્રવારે મિલીટરી ફોર્સેત્તર કાશ્મીરના બારામુલ્લા જીલ્લાના સોપોરના વરપોરા વિસ્તારમાં સામસામી ફાયરિંગમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. રહેણાંક મકાનમાં છૂપાયેલા આતંકીઓ ગોળીબાર કરતા રહ્યા હતા. તે દરમિયાન બે આતંકવાદીઓ ફ્યાઝ અહમદ અને શાહીન અહમદ મીરને ઠાર કર્યાં હતા.

[google_ad]

 

આ બંને એલ.ઇ.ટી.ના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂ ગોળાનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશનમાં જે ટીમ જાડાઇ હતી. જેમાં પાલનપુર નજીક રામપુરા ગામના મેજર બિપીન રાયચંદભાઇ પટેલ (પંચાસરા) પણ જાડાયા હતા. મેજર બિપીનભાઇ હાલમાં કમાન્ડો કંટ્રોલ ઇન્ટેલીજન્સ ઓફીસર તરીકે અહીં ફરજ બજાવે છે.

[google_ad]

Advt

શુક્રવારે આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં આતંકવાદીઓ જ્યાં જે રહેણાંક મકાનમાં રોકાયા હતા તે ડીમોલેશન કરવાનું કામ તેમણે પાર પાડ્યું હતું. અહીં દેશ વિરોધી એક્ટીવિટી થાય તેને જવાનો દ્વારા નિષ્ફળ બનાવાય છે. બિપીનભાઇ નવ વર્ષથી મીલેટરીમાં ફરજ બજાવી રહ્યા છે.

[google_ad]

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!