ચાણસ્માના CRPF જવાનને તેલંગાણામાં ગોળી વાગતાં સહીદ થતા શોક છવાયો

- Advertisement -
Share

ચાણસ્મા તાલુકાના જીતોડા ગામના વતની અને ગોઝારીયા ખાતે રેલવેમાં ફરજ બજાવતા ઠાકોર પ્રતાપજી અજમલજીના નાના પુત્ર શંકરજી છેલ્લા 5 વર્ષથી સી.આર.પી.એફમાં આંધ્રપ્રદેશના તેલંગાણામાં વારંગલ ખાતે ફરજ બજાવતા હતા. દિવંગત યુવાન શંકરજીના લગ્ન વડોદરા ખાતે થયા હતા અને તેમને 2 પુત્રો છે.

[google_ad]

પરંતુ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે તે મુજબ મૃતક યુવાનના પિતા પ્રતાપજી ઠાકોરને બુધવારે 3 વાગે પોતાનો પુત્ર જ્યાં ફરજ બજાવતા હતા ત્યાંથી તેમના અધિકારીનો ફોન આવ્યો કે તમારા પુત્ર સહીદ થયી ગયા છે. આ ઘટનાની મૃતક યુવાનના પિતાને ફોન મારફતે જાણ થતાં તેઓ હતપ્રત થઇ ગયા હતા.

[google_ad]

મૃતકના ભાઈ વિજયસિંહના જણાવ્યા મુજબ તેલંગાણાના વારંગલ ખાતે ફરજ દરમિયાન 21 જુલાઇએ બપોરે ત્રણ વાગ્યે માથામાં ગોળી વાગવાથી નિધન થયું છે. ફાયરિંગમાં ગોળી વાગવાથી જીવલેણ ઇજા થઇ હતી. જોકે, કોઈની સાથે અથડામણમાં થયું છે કે અન્ય રીતે તે હજુ સ્પષ્ટ થયું નથી.

[google_ad]

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!