પાલનપુરના વોર્ડ નં. 9ના રહીશોની સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી પીવાનું પાણી નિયમિત અને ચોખ્ખું ન મળતાં વોર્ડ નં. 9ના ચૂંટાયેલા સદસ્યો અને નગરપાલિકા સામે આક્રોશ સાથે મંગળવારે નગરપાલિકામાં ધસી જઇ સૂત્રોચ્ચાર કર્યાં હતા. જોકે, પીવાનું પાણી દૂષિત આવવાની બૂમરાડો ઉઠી છે.
[google_ad]
પાલનપુરના વોર્ડ નં. 9ના રહીશો સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી પીવાનું પાણી દૂષિત આવે છે. જેને લઇ રહીશોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. જેમાં વોર્ડ નં. 9ના ચૂંટાયેલા સદસ્યો અને નગરપાલિકા સામે આક્રોશ સાથે મંગળવારે ધસી જઇ સૂત્રોચ્ચાર કર્યાં હતા.
[google_ad]
જોકે, તાત્કાલીક પગલાં ભરવામાં નહી આવે તો દૂષિત પાણી પીવાથી રોગચાળો, કમળો અને ટાઇફોઇડ જેવા અનેક પ્રકારના રોગો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. રહીશોએ જાહેરમાં તાજેતરમાં ચૂંટાયેલા સદસ્યો પર આક્રોશ ઠાલવ્યો હતો. જેને લઇ પાલનપુર નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરાઇ છે. જેમાં અમારી સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.
[google_ad]
આ અંગે વોર્ડ નં. 9 સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ‘હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. અત્યારે અમારી સોસાયટીમાં દૂષિત પાણી છેલ્લા એક સપ્તાહથી આવે છે. જેથી નગરપાલિકાએ કોઇ જ પગલાં ભર્યાં નથી. જો તાત્કાલીક પગલાં ભરવામાં નહી આવે તો દૂષિત પાણી પીવાથી રોગચાળો, કમળો અને ટાઇફોઇડ જેવા અનેક પ્રકારના રોગો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે.’
From – Banaskantha Update