નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીએ પંખા પર દોરડું બાંધી આત્મહત્યા કરતાં ચકચાર

- Advertisement -
Share

પાટણ જીલ્લાના સિદ્વપુર તાલુકામાં નર્સિંગ કોલેજમાં હોસ્ટેલની રૂમમાં શુક્રવારે પંખા પર લટકેલી હાલતમાં વિદ્યાર્થીની મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં વિદ્યાર્થીની જી.એન.એમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

[google_ad]

 

આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વિદ્યાર્થીનીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અંગે સિદ્વપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણ જીલ્લાના સિદ્વપુર તાલુકામાં નર્સિંગ કોલેજમાં રહેતી અને મૂળ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના નાણાવાડા ગામની વતની છે. જેમાં વિદ્યાર્થીનીએ નર્સિંગ કોલેજમાં શુક્રવારે હોસ્ટેલની રૂમમાં પંખા ઉપર દોરડું બાંધી આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જ્યારે વિદ્યાર્થીની જી.એન.એમ. ના બીજા વર્ષમાં અભ્યાસ સાથે જાડાયેલી હતી.

[google_ad]

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ બનાવના પગલે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં કાલીમા પ્રસરી ગઇ હતી.

[google_ad]

 

 

જ્યારે વિદ્યાર્થીનીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. આ અંગે સિદ્વપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!