બનાસકાંઠામાં 2014 બાદ બટાકામાં સતત મંદી આવતા કોલ્ડ સ્ટોરેજોમાં લીધેલી લોન ભરવી મુશ્કેલ બની હતી અને દિન-પ્રતિદિન બેંક લોન સાથે વ્યાજ વધી જવા પામેલ અને કોલ્ડ સ્ટોરેજ માલિકો મંદીના માહોલમાં ડૂબી જવાના કારણે બેંકોના નાણાં ચૂકવી શક્યા નથી. જેથી સરફેજ એક્ટ હેઠળ સ્ટોરેજને સિલ મારવાની કાર્યવાહી હાથ ધરેલી.
જોકે, ચાલુ વર્ષે પણ બટાકામાં ભયંકર મંદીના કારણે લોન ભરવી મુશ્કેલ બની ગઈ છે ત્યારે બેંકના અધિકારીઓ દ્વારા સિલ મારવા માટે કાર્યવાહી કરતા અને આજ રોજ ગણેશ કોલ્ડ સ્ટોરેજમાં સીલ મારવા માટેની કાર્યવાહી હાથ ધરે તે પહેલા ખેડૂત અગ્રણી અને ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી.એન માળીને ખેડૂતો અને કોલ્ડસ્ટોરેજ માલિકોએ જાણ કરતા પોતાના લેટરપેડ ઉપર જિલ્લા કલેકટર આનંદ પટેલને લેખિત રજૂઆત કરી 4 માસ માટે રાહત આપવાની માગણી કરેલી.
જોકે, હાલ કોલ્ડ સ્ટોરેજ માલિકો પાસે બેંક ભરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી અને બેંક કડક કાર્યવાહી કરે તો કોલ્ડસ્ટોરેજના માલિક આત્મહત્યા કરી શકે તેવી સ્થિતિ થઈ છે ત્યારે કલેકટર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ કલેક્ટરે આ વાતને ગંભીરતાથી ધ્યાને લઇ 4 માસ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવા બેંક સત્તાવાળા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરેલ. જોકે, 4 મહિના માટે કલેક્ટરે રાહત આપતા વેપારીઓમાં પણ થોડીક રાહત જોવા મળી છે.
From – Banaskantha update