બનાસકાંઠાના ધાનેરામાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરી માનવ સેવા સંગઠનએ ચકલીઘરનું વિતરણ કર્યું અને ચકલી બચાવો અભિયાન હાથ ધર્યું.
આમ તો આંગણ અને વૃક્ષો પર ચકલીનો કિલકીલાટ હમેશા સાંભળવા મળતો હતો પણ છેલ્લા 10 વર્ષથી આ અવાજ સંભાળતા બંધ થયો હોય એવી પરિસ્થિતિ સામે આવી છે ત્યારે સમગ્ર વિશ્વ ચકલી બચાવો અભિયાન દ્રારા ચકલી બચાવવાના પ્રયાસ થયા છે.
જેના અનુસંધાનમાં આજે ધાનેરામાં માનવ સેવા સંગઠન દ્રારા ચકલીના માળા અને કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું છેલ્લા ઘણા વર્ષોથી આ સંગઠન દ્રારા ચકલી બચાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આધુનિક યુગમાં અનેક ટેકનોલોજીથી લોકો નજીક આવી રહ્યા છે પણ ઘણા રેડિયસનના લીધે અનેક પક્ષીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે ચકલીની જાતિ નષ્ટ થવાના આરે છે ત્યારે સમગ્ર વિશ્વ આજે ચકલી બચાવવા માટે મેદાનમાં છે.
અનેક સંગઠન દ્રારા ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહયા છે. આજે 20 માર્ચના દિવસને ચકલી દિન તરીકે ઉજવીને નષ્ટ થતી ચકલીને પુન: ઘર અને વૃક્ષ પર કિલકીલાટ કરતી જોવા માટે સમગ્ર માનવજાત મેદાનમાં છે.
From – Banaskantha Update