બનાસકાંઠા માજી સૈનિકોના સંગઠન દ્વારા મંગળવારે પાલનપુરમાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા શહીદ સૈનિકોના પરિવારોને આપવામાં આવતી સહાયની રકમ સામે વિરોધ દર્શાવ્યો હતો.
અને અમદાવાદ ખાતે પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શિત કરી રહેલા એક માજી સૈનિકની અટકાયત કરી ગોંધી રાખવાના બનાવ સામે વિરોધ દર્શાવી ભવિષ્યમાં માજી સૈનિક સાથે આવું વર્તન ન થાય તેની ખાત્રી આપવાની માંગ કરતાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાત માજી સૈનિક સંગઠન વતી બનાસકાંઠા જીલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા મંગળવારે પાલનપુરમાં માજી સૈનિકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેઓના જણાવ્યા મુજબ, ‘જ્યારે માતૃભૂમિની રક્ષા કરતાં કે આંતકવાદીઓની મૂઠભેડમાં કોઇ સૈનિક સહાદત વ્હોરે છે.
ત્યારે તે યુવાન શહીદ સૈનિકના પરિવારને ગુજરાત સરકાર દ્વારા માત્ર રૂ. 1 લાખની મામૂલી સહાય આપવામાં આવે છે. જેની સરખામણીમાં દેશના અન્ય રાજ્યોમાં દિલ્હી દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા માત્ર રૂ. 1 લાખની મામૂલી રકમની સહાય આપવામાં આવે છે તેની સામે વિરોધ દર્શાવતા આ અંગે સરકારનું ધ્યાન દોરવાની માંગને લઇને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.’
આ ઉપરાંત માજી સૈનિકો દ્વારા માજી સૈનિકોની પડતર માંગણીઓને લઇને વિશાલભાઇ નામના માજી સૈનિકે અમદાવાદના શહીદ વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવવાના હોય તેમનું ધ્યાન દોરવા માટે બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા.
ત્યારે તેઓની થયેલી અટકાયત કરી તેમને ગોંધી રાખવાના સામે માજી સૈનિકોએ વિરોધ પ્રદર્શિત કરતાં માજી સૈનિકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે રોષ ઠાલવી ભવિષ્યમાં માજી સૈનિકો સાથે આવું વર્તન કરવામાં ન આવે તેવી માંગ કરી હતી.
From-Banaskantha update