બદલાતી ઋતુમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં યાત્રિકોની સગવડતા ખાતર માતાજીની આરતી દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન 2 માસ માતાજીને ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે. મંદિર પૂજારી ભટ્ટજી મહારાજ જયશીલ ઠાકરના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન વૈશાખ અને જેઠ માસમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે માતાજીને ત્રણ ટાઈમ સ્નાનવિધિ, શણગાર અને આરતી કરાય છે.
[google_ad]
મંદિરમાં આરતી અને દર્શનનો સમય
સવારે 7-30 થી 8-00
દર્શન સવારે 8-00 થી 11-30
મંદિર મંગળ 11-30 થી 12-00
રાજભોગ બપોરે 12-00 થી 12-30
દર્શન બપોરે 12-30 થી 4-30
મંદિર મંગળ 4-30 થી 7-00
આરતી સાંજે 7-00 થી 7-30
દર્શન સાંજે 7-30 થી 9-00
From – Banaskantha Update