જામનગર તાલુકાના મોરારદાસના ખંભાલીડા ગામે આજે શ્રમિક પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે પરિવારના 3 માસૂમ બાળકોના મૃતદેહ કુવા અંદરથી સાંપડ્યા છે.
[google_ad]
શ્રમિક મહિલાએ પોતાના બાળકો સાથે કૂવો પૂર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે આ બનાવમાં મહિલાનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘર કંકાસને લઈને આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.
[google_ad]
દાહોદ જિલ્લામાંથી જામનગરના ખંભાલીડા ગામે દનીયું રડવા આવેલ શ્રમિક પરિવારનો હસતો ખેલતો પરિવાર પર આભ તુટી પડ્યું છે. જાણવા વિગત મુજબ, આ શ્રમિક પરિવારની મહિલાએ પોતાના 3 સંતાનને સાથે રાખી કૂવામાં ઝંપલાવતા ત્રણેય બાળકોના મૃત્યુ નિપજ્યા છે.
[google_ad]
જ્યારે માતાનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટિમ ઘટના સ્થળ પર દ્વારા તાત્કાલિક દોડી જઇ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પંચકોશી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[google_ad]
From – Banaskantha Update