થરાદ તાલુકાની મુખ્ય કેનાલમાં શનિવારે પંજાબી આધેડની લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં આજુબાજુના લોકોએ તરતી લાશ જોતાં સ્થાનિક તરવૈયાઓને જાણ કરી હતી. જ્યારે સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ દ્વારા લાશને બહાર નીકાળી હતી. આ અંગે થરાદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને થરાદ રેફરલમાં પી.એમ. અર્થે ખસેડી ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાની મુખ્ય કેનાલમાં શનિવારે પંજાબી આધેડની લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં લાશ તરતી આજુબાજુના લોકોએ જોતાં સ્થાનિક તરવૈયાઓને જાણ કરતાં સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની મદદથી કેનાલમાંથી રસ્સા વડે લાશને બહાર કઢાઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
[google_ad]
પંજાબી આધેડે ક્યા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. હજુ સુધી પોલીસને કોઇ જ કડી મળી નથી. આ અંગે થરાદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ઝીણવટીભરી તપાસ હાથ ધરાઇ છે. આ અંગે થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update