ભટ્ટજી મહારાજ જોડે રક્ષા પોટલી બંધાવી આશિર્વાદ મેળવ્યા
અરવલ્લીની ગીરીમાળાઓમાં બિરાજમાન માં જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબાના ચરણોમાં શિશ નમાવવા દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતાં હોય છે.
સોમવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા માં અંબાના ધામમાં આવ્યા હતા. માં અંબાના ધામમાં આવી માતાજીના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી. અંબાજીના પૂજારીઓ દ્વારા મનિષ સિસોદીયાનું સ્વાગત કરાયું હતું.
માં અંબાના નીજ મંદિરના ગર્ભગૃહમાં મનિષ સિસોદીયાએ માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. જયારે ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશિર્વાદ આપ્યા હતા.
માતાજીના દર્શન કર્યાં બાદ મનિષ સિસોદીયાએ માતાજીની ગાદી ઉપર જઇ ભટ્ટજી મહારાજ જોડે રક્ષા પોટલી બંધાવી આશિર્વાદ મેળવ્યા હતા.
આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઇ ગુજરાતના પ્રવાસે નીકળેલા આપ પાર્ટીના મનિષ સિસોદીયાએ સોમવારે અંબાજી માતાજીના દર્શન કર્યાં હતા.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા સાથે આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઇસુદાન ગઢવીએ અંબાજી મંદિર પહોંચી માતાજીના દર્શન કર્યાં હતા.
From-Banaskantha update