ડીસા તાલુકાના જુના નેસડા ગામના રાઠોડ સોવનજી વણવિરજીના ખેતરમાં બાજરીના 3,000 હજાર પુળામાં અચાનક આગ લાગતા ઘુમાડાના ગોટે-ગોટા આકાશમાં જોવા મળ્યા હતા જેને કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
[google_ad]
આગ લાગેલા પૂળા પર 3 કલાક પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં 3,000 પુળા બળીને ખાખ થઈ ગયા હતા જેથી કિંમત ₹ 60,000નું નુકસાન ખેડૂતને વેઠવાનો વારો આવ્યો હતો.
[google_ad]
ખેડૂત પોતાના ખેતરમાં બાજરી વાવીને પશુપાલન માટે ધાસચારાનો 12 મહિના સંગ્રહ કર્યો હતો જેમાં અચાનક આકસ્મિક આગ લાગતા પુળા બળીને ખાખ થઈ જતાં ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો.
[google_ad]
From – Banaskantha Update