પાલનપુરમાં વૃધ્ધ અને વકીલ ઉપર 4 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

 

પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક ફલેટ જોવા ગયેલા વૃધ્ધ અને વકીલ ઉપર 4 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.
જેમાં મહીલાએ વકીલના ગુપ્ત ભાગે લાત મારી ઇજાઓ પહોંચાડી હતી અને વૃધ્ધને થપ્પડ મારી હતી. આ અંગે પાલનપુર પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતાં પ્રવિણકુમાર ઉર્ફે મુન્નાભાઇ ચિરંજીવીલાલ ગુપ્તા (ઉં.વ. આ. 65) ની માલિકીના 10 ફલેટ પાલનપુર-અમદાવાદ હાઇવેની બાજુમાં આવેલા છે.
જે પૈકી શકુંતલાબેન મુક્તિલાલ શાહ એક ફલેટ ખાલી કરતાં ન હોઇ કોર્ટમાં દાવો દાખલ કરવાની કાર્યવાહી કરવા માટે તેમના મિત્ર નંદલાલ રામાનંદી, વકીલ ઉદયભાઇ સાથે માલિકીના ફલેટ જોવા ગયા હતા. તે દરમિયાન શકુંતલાબેને પ્રવિણભાઇને કોલરથી ઝડપી થપ્પડ મારી હતી.

 

જયારે વકીલ દિપેશભાઇના ગુપ્ત ભાગે લાત મારી હતી. મીનાક્ષીબેન મુક્તિલાલ શાહ, પારસભાઇ મુક્તિલાલ શાહ અને શ્રેણીક ઉર્ફે સૈનિક મુક્તિલાલ શાહે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. આ અંગે પ્રવિણકુમારે પાલનપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!