પક્ષાતર ધારા ૧૯૮૬ ની કલમ ૩ મુજબ છ સભ્યોને તા. ૦૮/૦૭/૨૦૨૧ ના રોજ હાજર રહેવાનો આદેશ
ધાનેરા નગરપાલિકામાં ભાજપના જ છ સભ્યોએ બળવો કરી સત્તા મેળવતાં નગરપાલિકાના મહીલા સદસ્યે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કમિશનરને રજૂઆત કરતાં પ્રમુખ સહીત પાંચ સભ્યોને પક્ષાતર ધારા હેઠળ નોટીસ અપાઇ છે. જ્યારે ભાજપના અન્ય સદસ્યોમાં પણ ફફડાટ ફેલાયો છે.
[google_ad]
[google_ad]
બનાસકાંઠા જીલ્લામાં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ છે. ત્યારે ધાનેરા નગરપાલિકામાં ભાજપના જ છ સભ્યોએ બળવો કરી સત્તા મેળવતાં નગરપાલિકાના મહીલા સદસ્ય જ્યોત્સનાબેન ત્રિવેદીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કમિશનરને રજૂઆત કરતાં પ્રમુખ સહીત પાંચ સભ્યોને પક્ષાતર ધારા હેઠળ નોટીસ આપતાં ફફડાટ ફેલાયો હતો. જેમને પક્ષાતર ધારા ૧૯૮૬ ની કલમ-૩ મુજબ છ સભ્યોને તા. ૦૮/૦૭/૨૦૨૧ ના રોજ હાજર રહેવાનો આદેશ કરાયો છે. જ્યારે ભાજપના અન્ય સદસ્યોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.
[google_ad]
From – Banaskantha update