બનાસકાંઠામાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સિંચાઇનું પાણી 15 દિવસ પાણી ચાલુ રાખવા મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો : ખેડૂતોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સિંચાઇનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવાતાં ધરતી પુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ કેનાલમાં તા. 31/03/2022 સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય થતાં સરહદી વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

 

 

બનાસકાંઠા જીલ્લો એ અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે અને બનાસકાંઠા જીલ્લામાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ પાણી માટે પોકાર ઉઠવા પામી છે.

 

 

ત્યારે આ વખતે ચોમાસાની શરૂઆત થતાં જ ઉત્તર ગુજરાતમાં કેવો વરસાદ થયો હતો. જેના કારણે સિંચાઇ માટે પાણી બંધ કરવા માટેનો સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

ઉત્તર ગુજરાતમાં સરદાર સરોવર નિગમ દ્વારા જે કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે તે બંધ કરવાના નિર્ણયથી ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો હતો.

 

 

જ્યારે બીજી તરફ જીલ્લામાં વીજ કાપ હોવાથી ખેડૂતો સરકાર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુલાકાતે આવ્યા હતા.

 

 

જ્યારે ખેડૂતોએ સિંચાઇ માટે પાણી ચાલુ રાખવા માટે રજૂઆત કરાઇ હતી. જેથી સરકાર દ્વારા કેનાલમાં તા. 31/03/2022 સુધી એટલે કે 15 દિવસ સરહદી વિસ્તારોમાં કેનાલોમાં સિંચાઇ માટે પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. કેનાલમાં પાણી આપવાનો નિર્ણય કરાતાં ખેડૂતોએ આ નિર્ણયને વધાવ્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!