બનાસકાંઠાના ધાનેરામાં અંગત અદાવતમાં તલવાર અને ધોકાઓ વડે 3 ઈસમો પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી. ધાનેરાના જાડી ગામે તલવાર અને ધોકાઓ વડે હુમલો કરાતા તલવારના ઘા વાગતા 3 ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા.
ધાનેરામાં અંગત અદાવતમાં 6 ઇસમોએ તલવાર અને ધોકાઓ વડે હુમલો કર્યો. હુમલામાં તલવારના ઘા વાગતા 3 ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હુમલો કરનાર 6 ઈસમો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.
From – Banaskantha Update