વડગામ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો

- Advertisement -
Share

વડગામ મામલતદાર કચેરી ખાતે છેલ્લા 3 વર્ષથી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં અશોકભાઈ સી. અટોસનો વિદાય સમારંભ પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

[google_ad]

 

અશોકભાઇ અટોસે પાલનપુર, દાંતીવાડા અને થરાદ ખાતે સારી રીતે સરકારી સેવાઓ આપી હતી. આ પ્રસંગે મામલતદાર વડગામ તથા સ્ટાફ દ્રારા અશોકભાઈ અટોસને શ્રીફળ-સાકર અને સાલ ઓઠાવીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ તેમની પત્ની ગીતાબેન અટોસનું પણ શાલ ઓઠાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

પાલનપુર નાયબ કલેકટર ગિલવા તથા વડગામ મામલતદાર કચેરીના કર્મચારીઓેએ અટોસની કાર્યશૈલી અને મિલનસાર સ્વભાવની પ્રંસંશા કરી તેમને બિરદાવ્યા હતા અને ઉષ્માભરી વિદાય આપી હતી.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!