વડગામ મામલતદાર કચેરી ખાતે છેલ્લા 3 વર્ષથી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં અશોકભાઈ સી. અટોસનો વિદાય સમારંભ પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
[google_ad]
અશોકભાઇ અટોસે પાલનપુર, દાંતીવાડા અને થરાદ ખાતે સારી રીતે સરકારી સેવાઓ આપી હતી. આ પ્રસંગે મામલતદાર વડગામ તથા સ્ટાફ દ્રારા અશોકભાઈ અટોસને શ્રીફળ-સાકર અને સાલ ઓઠાવીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ તેમની પત્ની ગીતાબેન અટોસનું પણ શાલ ઓઠાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
[google_ad]
પાલનપુર નાયબ કલેકટર ગિલવા તથા વડગામ મામલતદાર કચેરીના કર્મચારીઓેએ અટોસની કાર્યશૈલી અને મિલનસાર સ્વભાવની પ્રંસંશા કરી તેમને બિરદાવ્યા હતા અને ઉષ્માભરી વિદાય આપી હતી.
[google_ad]
From – Banaskantha Update