ચૂંટણીમાં સહેલગાહે ગયેલો સભ્ય ઘરે જવાની જીદ કરતાં ચૂંટણી રદ કરાઇ હોવાનું ચર્ચાસ્પદ
લાખણી માર્કેટયાર્ડમાં મંગળવારે ચૂંટણી યોજાવાની હતી. થોડા દિવસ અગાઉ જ એક જૂથના સભ્યો સલેહગાહે ઉપડ્યા હતા. જેમાંથી એક સભ્યે ઘરે જવાની જીદ કરતાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ કરાઇ હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે. ચૂંટણી અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડી ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાનાર સામાન્ય સભા મુલત્વી રખાઇ હતી.
ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને સાંસદ પરબતભાઇ પટેલ પ્રેરિત પેનલ માર્કેટયાર્ડની ચૂંટણીમાં આમને-સામને ઉભા હતા. જેમાં ૧૭ ડીરેક્ટરની ચૂંટણી અચાનક મુલત્વી રાખવામાં આવતાં રાજકારણ ગરમાયુ હતું.
હાલમાં ચેરમેન તરીકે બાબુભાઇ પાનકૂટા અને વાઇસ ચેરમેન તરીકે તેજાભાઇ ભૂરીયા છે. જ્યારે હવે ચૂંટણી માટે પેનલ પડી ગઇ છે. બહુમતી સભ્યો સહેલગાહે ઉપડી ગયા હતા. જેમાં એક સભ્ય ઘરે જવાની જીદ કરતાં ચૂંટણી રદ્દ કરાવવામાં હોવાની ચર્ચાએ જાર પકડ્યું હતું.
જીલ્લા રજીસ્ટ્રાર કચેરીને પૂછતાં અનિવાર્ય સંજાગોના લીધે ચૂંટણી રદ કરાઇ હોવાનું જાહેર કરાયું હતું. ચૂંટણી યોજાય તો પરબતભાઇ પટેલ પ્રેરિત ચાલુ ચેરમેન બાબુભાઇ પાનકૂટાની પેનલની બહુમતી હોવાની માહિતી મળી છે. જા કે, રાજકીય પ્રેસર કરી ચૂંટણી મુલત્વી રખાયાની ચર્ચાએ જાર પકડ્યું છે.
From – Banaskantha update