ગુપ્ત ચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી/અસામાજીક તત્વો શહેરોમાં અને ગીચ વસતીવાળા વિસ્તાારમાં ગુપ્ત ચર આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ કરે છે તેમજ આતંકવાદી પ્રવૃતિ કરે છે. આવા તત્વો માનવ જીંદગી ખુવાર કરી લોકો અને જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડે છે.
બહારના રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતાં આવા તત્વોનો કોઇના મકાન ભાડે રાખી રહેતાં હોય છે અને જગ્યાએ વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઇને તેઓની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપતાં હોય છે. જેથી મકાન ભાડે આપતાં મકાન માલિકો ઉપર કેટલાંક નિયંત્રણો મુકવાનું રાજ્ય અને દેશની સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં જરૂરી જણાય છે.
બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ (આઇ.એ.એસ.) આનંદ પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં કોઇ મકાન/ઓધૌગિક એકમોના માલિકે અગરતો મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ/સંચાલક જયારે મકાન, ઓધૌગિક એકમ ભાડે આપે ત્યારે તે અંગેની જાણ ફોટોગ્રાફ્સ સાથે સબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વિગતો આપવાની રહેશે.
જેમાં મકાન માલિકનું નામ અને ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં છે. મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન કયારે ભાડે આપેલ છે. જે વ્યક્તિને મકાન ભાડે આપેલ છે.
તેમના નામ, સરનામા, ફોટા, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પૂરાવા રૂપે સાથે આપવા, મકાન માલિકને ભાડુઆતોનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ અને પાનકાર્ડ પૂરાવા રૂપે સાથે આપવાના રહેશે. આ હુકમ તા. 11/03/2022 સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ સબ ઇન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર શખ્સો સામે આઇ.પી.સી. કલમ-188 અને ગુ.પો.અધિ.ક.-135 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
From-Banaskantha update